Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ

October 14, 2025

હિન્દુ પંચાંગ પ્રમાણે ધનતેરસનો તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે. 

આ પણ વાંચો: ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ

આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ માટે ઘરની બહાર દીવો પ્રગટાવવામાં આવે છે, જેને યમદીપક કહેવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે, ધનતેરસ પર શુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. તો ચાલો તે વસ્તુઓ વિશે જાણીએ.

ધનતેરસ પર આ સસ્તી વસ્તુઓ ખરીદવી જ જોઈએ

લોકો ઘણીવાર ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ પર કેટલીક સસ્તી વસ્તુઓ ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે? ચાલો તેમના વિશે જાણીએ.

1. સાવરણી

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં પવિત્રતા, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

2. લક્ષ્મી ચરણ

ધનતેરસના દિવસે ઘરમાં લક્ષ્મીજીના ચરણ લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી ચરણની રાખવાછી નાણાકીય સમસ્યાઓ થાય છે  અને દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. 

3. લક્ષ્મી-ગણેશની મૂર્તિ

ધનતેરસના દિવસે માટીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે, અને દિવાળી પૂજા દરમિયાન તેમને સ્થાપિત કરવાથી તમામ મુશ્કેલીો દૂર થાય છે.

4. ધાણાના બીજ

ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો માત્ર 5 રૂપિયામાં ધાણા પણ ખરીદી શકો છો. એવું માનવામાં આવે છે કે પૂજા રૂમમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે. દિવાળી પૂજાના દિવસે દેવી લક્ષ્મીને આ બીજ અર્પણ કરવાથી ધન વૃદ્ધિની શક્યતા રહે છે.