ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યાર્થી આંદોલન સફળ, સરકાર વાતચીત માટે તૈયાર થઈ
August 17, 2026
નવી દિલ્હી ખાતે જંતર મંતર પર કોકરોચ પાર્ટીના આંદોલન પૂર્ણ થયા બાદ ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનના મંડાણ થયા હતા. રાંચીમાં JPSC અને JSSC પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા હતા. ઝારખંડની હેમંત સોરેન સરકાર આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સરકારના સકારાત્મક વલણ બાદ વિદ્યાર્થીઓને તેમની રજૂઆતો સાંભળવા સોમવારે બપોરે 2 વાગ્યે વાટાઘાટો માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મળતી વિગતો અનુસાર સબ-ડિવિઝનલ ઓફિસર અને ADM દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રસ્તાવ અંગે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી હતી.
સરકાર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવેલી નવી પહેલ હેઠળ આંદોલનકારી વિદ્યાર્થીઓને 17 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વિદ્યાર્થીઓને પોતાના કાનૂની સલાહકારો સાથે ભાગ લેવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો, જેથી કાયદાકીય પાસાઓની યોગ્ય ચર્ચા થઈ શકે.
આ પ્રસ્તાવ ત્યારે આવ્યો હતો જ્યારે રવિવારે જ વિદ્યાર્થીઓએ આખા ઝારખંડમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓએ રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના પૂતળાંનું દહન કર્યું હતું. તેમણે આગામી 20 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી હતી, જેના થોડા સમય બાદ જ સરકાર નરમ પડી હોવાના અને વાતચીત માટે તૈયાર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
Related Articles
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા!
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ...
Aug 17, 2026
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝા...
Aug 17, 2026
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હો...
Aug 17, 2026
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા...
Aug 17, 2026
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ...
Aug 17, 2026
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળતા UGC-NETની અંગ્રેજી, કોમર્સ, સમાજશાસ્ત્રની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળ...
Aug 17, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026