Breaking News :
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા! વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ ’જન ગણ મન રાષ્ટ્રગાન નથી, વંદે માતરમને બનાવો’ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પીએમ મોદીને માંગ કરી અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા

NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળતા UGC-NETની અંગ્રેજી, કોમર્સ, સમાજશાસ્ત્રની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે

August 17, 2026

નવી દિલ્હી ખાતે જૂન 2026માં યોજાયેલી UGC-NETની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં વિવિધ ભૂલો શોધી કાઢ્યા બાદ આ નિર્ણય લીધો હતો. આ વિષયોમાં બેસનારા ઉમેદવારો પાસેથી ફરીથી પરીક્ષા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.

અંગ્રેજી વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-1માં સવારે 9.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી લેવાશે. કોમર્સ વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-2માં બપોરે 3.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી લેવાશે. સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-1માં સવારે 9.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી લેવાશે. પરીક્ષા કેન્દ્ર, શહેર અને પ્રવેશ કાર્ડ સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઇટ પર અલગથી આપવામાં આવશે.

NTAએ 22 જૂનથી 30 જૂન 2026 દરમિયાન 87 વિષયોમાં UGC NET જૂન 2026ની પરીક્ષા યોજી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત અને પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે યોજાઈ હતી. આ દરમિયાન અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રો અંગે અનેક ફરિયાદો મળી હતી.

ફરિયાદોની તપાસ માટે NTA દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પ્રશ્નપત્રોમાં તથ્યલક્ષી, ટાઇપોગ્રાફિકલ અને અનુવાદ સંબંધિત ભૂલો ઓળખી કાઢી હતી. અગ્રણી વિદ્વાનોના નામ ખોટી જોડણીમાં લખાયા હતા, પુસ્તકોના શીર્ષકો ખોટા હતા અને ઘણા પ્રશ્નોના મૂળ શબ્દોમાં ખામીઓ હતી. વ્યાકરણ, લિંગ અને સંખ્યા સંબંધિત ભૂલો અને જૂની પરીક્ષાઓના પ્રશ્નોનું પુનરાવર્તન પણ જોવા મળ્યું હતું, તેથી ખામી સુધારી શકાય તેમ ન હોવાથી ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો.