Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી

April 06, 2026

ચંદીગઢ: પંજાબના પાટનગર ચંદીગઢમાં ભાજપ મુખ્યાલય બહાર થયેલા બ્લાસ્ટના માત્ર પાંચ દિવસ બાદ જ આજે ચંદીગઢ અને જાલંધરની અનેક શાળાઓ તથા સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા ઈમેલ મળતા જ સમગ્ર પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના ગાંધી ભવનમાં રાત્રે ગ્રેનેડ હુમલો કરવાની વાત કહેવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ધમકીભર્યા સંદેશામાં પંજાબને 'ખાલિસ્તાન' બનાવવાની ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, તમારા બાળકોને બચાવી લો, પંજાબ હવે ખાલિસ્તાન બનશે. ધમકી આપનારે ખાલિસ્તાન નેશનલ આર્મીનું સરનામું વાપરીને શાળાઓમાં નિર્ધારિત સમયે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપી હતી. આ સાથે જ રાષ્ટ્રગીત બંધ કરવા અને અલગતાવાદી સૂત્રોચ્ચારો શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે.

સૌથી ગંભીર બાબત એ છે કે આ ઈમેલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં સ્પષ્ટ લખ્યું છે કે બોમ્બ અથવા ગ્રેનેડ હુમલામાં કેજરીવાલ અને ભગવંત માનને પણ ઠોકી દેવામાં આવશે. આ સિવાય હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પણ આતંકીઓના નિશાન પર હોવાનું જણાવાયું છે. અમૃતસરમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ૧૪ એપ્રિલના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.