ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી
April 06, 2026
ચંદીગઢ: પંજાબના પાટનગર ચંદીગઢમાં ભાજપ મુખ્યાલય બહાર થયેલા બ્લાસ્ટના માત્ર પાંચ દિવસ બાદ જ આજે ચંદીગઢ અને જાલંધરની અનેક શાળાઓ તથા સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા ઈમેલ મળતા જ સમગ્ર પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના ગાંધી ભવનમાં રાત્રે ગ્રેનેડ હુમલો કરવાની વાત કહેવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ધમકીભર્યા સંદેશામાં પંજાબને 'ખાલિસ્તાન' બનાવવાની ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, તમારા બાળકોને બચાવી લો, પંજાબ હવે ખાલિસ્તાન બનશે. ધમકી આપનારે ખાલિસ્તાન નેશનલ આર્મીનું સરનામું વાપરીને શાળાઓમાં નિર્ધારિત સમયે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપી હતી. આ સાથે જ રાષ્ટ્રગીત બંધ કરવા અને અલગતાવાદી સૂત્રોચ્ચારો શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ ઈમેલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં સ્પષ્ટ લખ્યું છે કે બોમ્બ અથવા ગ્રેનેડ હુમલામાં કેજરીવાલ અને ભગવંત માનને પણ ઠોકી દેવામાં આવશે. આ સિવાય હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પણ આતંકીઓના નિશાન પર હોવાનું જણાવાયું છે. અમૃતસરમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ૧૪ એપ્રિલના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
Related Articles
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય...
Apr 06, 2026
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પ...
Apr 06, 2026
ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્રી રાજનાથ સિંહના કડક વલણ બાદ પાકિસ્તાને કલકત્તા પર હુમલાની આપી ધમકી
ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્ર...
Apr 06, 2026
રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓએ કર્યા સરકારની નીતિના વખાણ
રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે કોંગ્રેસના 3...
Apr 06, 2026
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલ...
Apr 06, 2026
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹...
Apr 06, 2026
Trending NEWS
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
04 April, 2026