યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
July 05, 2025
અમરનાથ યાત્રા 2025 શરૂ થઈ ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ, 2025 સુધી ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાના પહેલા બે દિવસ દરમિયાન 20,000 થી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ છે.
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલ બેઝ કેમ્પ ખાતે યાત્રાળુ નિવાસ સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી સિંહાએ કહ્યું, "અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા છે." કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ડિજિટલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, "દેશના વિવિધ ખૂણાઓથી બાબાના ભક્તો અહીં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB) એ યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારો કર્યો છે.'
Related Articles
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026