Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસતા નેપાળી સેના રસ્તા પર ઉતરી, જેલમાં ફાયરિંગ થતાં 5 લોકોના મોત

September 10, 2025

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન વચ્ચે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધુ. હિંસક વિરોધ પ્રદર્શનમાં 19 લોકોના મોત નિપજ્યા છે અને સરકારી મિલકતોને આગ લગાવી દીધી. પરિસ્થિતિ સંભાળવા માટે નેપાળ આર્મી તૈનાત કરવામાં આવી છે. ભારત-નેપાળ સીમ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેથી ઉપદ્રવી તત્વ ભારતમાં હિંસા ન ફેલાવી શકે.

નેપાળની બાંકે જિલ્લાની નૌબસ્તા સ્થિત જેલમાં અને કિશોર સુધાર ગૃહમાં થયેલી અથડામણમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. અથડામણ દરમિયાન 585 કેદીઓમાંથી 149 કેદીઓ અને અટકાયતમાં રાખેલા 176 કેદીઓમાંથી 76 કેદીઓ ભાગી ગયા.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સશસ્ત્ર પોલીસે ગોળીબાર કર્યો.આ દરમિયાન 7 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. પરિસ્થિતિ બગડવા પર નેપાળ સેનાને હાલ દરેક જગ્યા પર તૈનાત કરવામાં આવ્યા છે.

બીજી બાજુ, નેપાળમાં હિંસા ભારત પર પણ અસર કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ઉપદ્રવી તત્વ ભારત-નેપાળ સીમા સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશ અને બિહાર જિલ્લામાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, સરહદ સુરક્ષા દળ, યુપી પોલીસ અને બિહાર પોલીસને સતર્ક રાખવામાં આવ્યા છે જેથી સરહદ પારની હિંસાની અસર ભારતમાં ન ફેલાય.