Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન

November 22, 2025

દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી

માલેગાંવ- મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો જનસભાઓમાં લાગેલા છે. આ વચ્ચે રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે માલેગાંવમાં એક સભા દરમિયાન કહ્યું કે, 'તમારી પાસે મત છે, મારી પાસે પૈસા છે. જો અમારા ઉમેદવાર જીતશે તો હું પૈસાની કમી નહીં થવા દઉં, નહીં જીતે તો હું પણ તમારી મદદ નહીં કરું.' આ નિવેદન માલેગાંવ નગર પંચાયત ચૂંટણીના પ્રચાર દરમિયાન આવ્યું, જ્યાં પવાર NCP ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા. સ્ટેજ પરથી આપેલું આ નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બની ગયો. વિપક્ષે તેને 'ખુલ્લી ધમકી' અને 'સરકારી નાણાંને પોતાની સંપત્તિની જેમ રજૂ કરવા' ગણાવ્યું.


મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના પૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવે અજિત પવારના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. દાનવે કહ્યું કે, 'આ એક પ્રકારની ધમકી છે, કારણ કે મત આપવો દરેક નાગરિકનો અધિકાર છે અને વિકાસ નિધિ(નાણાં) આપવા સરકારનું કામ છે. વિકાસ નિધિ જનતાના ટેક્સના પૈસાથી થાય છે, ન કે કોઈ એક નેતાના ઘરેથી આવે છે. આવા નિવેદનને ચૂંટણી પંચે ગંભીરતાથી જોવા જોઈએ.'
દાનવે મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, 'છેલ્લા 10 મહિનામાં 899 ખેડૂતોએ આપઘાત કર્યા છે અને આ સંખ્યા હજુ વધવાની શક્યતા છે. કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું, પરંતુ સરકારની મદદ તેમાંથી વધુ પડતાને નથી પહોંચી. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે લાગુ ન થયું, આ કારણથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.'