'પેટ્રોલ-ડીઝલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ- નીતિન ગડકરી
December 28, 2025
નાગપુર- નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે.
તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક પર કામ શરૂ કરી દીધું છે. 100 ટકા ઇથેનોલ અને CNGથી ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ પણ આપી રહી છે. આવનારા દિવસોમાં કન્સ્ટ્રકશન ઇક્યૂપમેન્ટ માટે જે લોકો ફાઇનાન્સ કરાવે છે, જો તેઓ અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલ વાળા વિકલ્પ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય આ ટેકનિકને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે, હાલમાં જ ત્રણ ટ્રક લોન્ચ કરાયા છે. જેમાં બે ટ્રક એવા છે, જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિનની સાથે હાઇડ્રોજન મિલાવીને ઉપયોગ કરાયો છે. જ્યારે એક ટ્રક સંપૂર્ણ રીતે હાઇડ્રોજન ફ્યુલ સેલ પર ચાલે છે. કંસ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર ઇક્યૂપમેન્ટમાં પણ આ પ્રકારના પ્રયોગ કરાઈ રહ્યા છે. દેશનું ભવિષ્ય અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલથી જોડાયેલું છે અને આવનારા સમયમાં આ રસ્તો ભારતને આગળ લઈ જશે.
Related Articles
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું;
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર...
Apr 06, 2026
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી...
Apr 06, 2026
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય...
Apr 06, 2026
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પ...
Apr 06, 2026
ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી
ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ...
Apr 06, 2026
ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્રી રાજનાથ સિંહના કડક વલણ બાદ પાકિસ્તાને કલકત્તા પર હુમલાની આપી ધમકી
ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્ર...
Apr 06, 2026
Trending NEWS
06 April, 2026
06 April, 2026
06 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026