વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું
April 06, 2026
સામાન્ય રીતે જ્યારે વિશ્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા હોય છે, પરંતુ અત્યારે ઉલટી ગંગા વહી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ હોવા છતાં, ભારતીય વાયદા બજાર (MCX) ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીમાં ₹2800 થી વધુનો ઘટાડો
સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું. ગત સપ્તાહે ચાંદી ₹2,32,495 પર બંધ થઈ હતી, જે આજે ઘટીને ₹2,29,651 પર ખૂલી હતી. આમ, ચાંદી એક જ દિવસમાં ₹2,844 પ્રતિ કિલો સસ્તી થઈ છે. નોંધનીય છે કે ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી હવે લગભગ ₹2.09 લાખ જેટલી સસ્તી મળી રહી છે.
સોનાની વાત કરીએ તો, 10 ગ્રામ સોનાનો ભાવ પણ ₹1,382 જેટલો ઘટી ગયો છે. ગત સપ્તાહે સોનું ₹1,49,680 પર બંધ રહ્યું હતું, જે આજે ઘટીને ₹1,48,298 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનું તેના ઉચ્ચતમ સ્તરથી અત્યારે ₹54,686 જેટલું સસ્તું થયું છે.
યુદ્ધ છતાં ભાવ કેમ ઘટ્યા?
વૈશ્વિક તણાવ અને ટ્રમ્પની ઈરાનને મળેલી ધમકીઓ છતાં ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો:
ડોલરની મજબૂતી: વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર વધુ મજબૂત બની રહ્યો છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડે છે.
કેશની માંગ: અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે હાથમાં રોકડ (Cash) રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ક્રૂડ ઓઈલની અસર: કાચા તેલના ભાવ $110 ને પાર કરી જતાં મોંઘવારીનો ભય વધ્યો છે, જેના દબાણ હેઠળ કિંમતી ધાતુઓ દબાયેલી છે.
Related Articles
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026