Breaking News :
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

અમદાવાદ ભુવો હતો સીરિયલ કિલર, માતા અને દાદી સહિત 12ને પતાવી દીધા

December 08, 2024

અમદાવાદ : 13 વર્ષમાં 12 હત્યાના આરોપી સીરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાનું પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, રવિવારે (8 ડિસેમ્બર) કસ્ટડીમાં ભુવાની તબિયત લથડી હતી, ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે હવે આ પાખંડી ભુવાના સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે. તંત્ર-મંત્રના નામે પરિવારના ત્રણ સભ્યો સહિત 12 લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વિકાર કર્યો છે. જણાવી દઈએ કે, નવલસિંહ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની હતો. ભુવાએ ભૂતકાળમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હત્યા કરી હતી.  
સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની માતા, દાદી અને કાકા સહિત 12 લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પીડિતોને સોડિયમ નાઇટ્રાઇટ સાથે ઝેર આપવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે પેઇન્ટિંગ અને ફિનિશિંગ કામમાં વપરાતું રસાયણ હતું. ચાવડા કથિત રીતે આ પદાર્થને પાણી અથવા દારૂમાં ભેળવી દેતા હતા, જેનાથી મિનિટોમાં જીવલેણ હાર્ટ એટેક આવતા હતા.
સરખેજ પો.સ્ટે. ગુના રજી નં. 918/24 ના ગુના કામે તારીખ 3/12/24ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીને તારીખ 10/12/24 સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડા જે ભુવો હતો અને તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 જેટલા મર્ડર સોડીયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના પડધરીમાં, 1 અંજારમાં, 1 વાંકાનેરમાં અને 3 પોતાના પરિવારમાંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન, ચાવડાએ ખુલાસો કર્યો હતો કે તેણે સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રાઇટ મેળવ્યું હતું અને વઢવાણમાં એક મંદિરમાં ગુપ્ત વિધિઓ કરી હતી. પોલીસે એ પણ શોધી કાઢ્યું હતું કે ચાવડાને ત્રણ બાળકો હતા અને તે કુટુંબના માણસ અને તાંત્રિક તરીકે બેવડું જીવન જીવતો હતો. 8 ડિસેમ્બરની સવારે, ચાવડા પોલીસ કસ્ટડીમાં બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. તેને ઉલટી થઈ અને ભાંગી પડ્યો, અધિકારીઓએ તેને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. તાત્કાલિક તબીબી સારવાર મળવા છતાં ચાવડાને મૃત જાહેર કરાયા હતા. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુની કસ્ટોડિયલ પ્રકૃતિને જોતા, ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું, 'અમે તેમના મૃત્યુના સંજોગોમાં પારદર્શક તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આગળની કાર્યવાહીનું માર્ગદર્શન આપશે. મળતી માહિતી અનુસાર, નવલસિંહ ચાવડાના કાંડ સામે લાવનારા જીગર ગોહિલના ભાઇ વિવેકનું વર્ષ 2021માં અસલાલી વિસ્તારમાં મોત નિપજ્યું હતું. તે અસલાલીના કમોદ ગામમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે અકસ્માતની ઘટનામાં મોત થયું હોવાનું માનીને તપાસ કરી હતી. જો કે મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા કે બાઇક પર કોઇ નિશાન નહોતા. જેના રિપોર્ટમાં પણ સોડિયમની હાજરી જણાઇ આવી હતી. આ ઘટના અકસ્માતની હોવાનું જીગરે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જીગરે પછી પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે, તેના ભાઈ વિવેકની હત્યા કરવામાં આવી હતી અને તે હત્યા પહેલા નવલસિંહ ચાવડાના સંપર્કમાં હતો.
- ભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ભુવાનો ડ્રાઈવર બન્યો
ભાઈના હત્યારાને પકડવા જીગર એક ટેક્ષી ડ્રાઇવર બન્યો હતો અને કથિત આરોપી નવલસિંહ ચાવડા વિષે ત્રણ વર્ષ સુધી ઝીણવટભરી તપાસ કરી હતી. હત્યારો નવલસિંહ ચાર હત્યા કર્યા બાદ વધુ એક હત્યાનો પ્લાન કરવા જઈ રહ્યો હોવાની માહિતી મળતા જ જીગર પહેલી ડિસેમ્બરે સરખેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં અધિકારીને જણાવ્યું હતું કે, 'મારા ભાઈ સહિત ચાર વ્યક્તિની હત્યા કરનાર નવલસિંહ વધુ એક હત્યા કરવાનો છે. આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

- ભુવો વધુ એકની હત્યા કરે તે પહેલા જ દબોચી લેવાયો
આ વખતે નવલસિંહે નિશાન સાણંદના વેપારી અભિજિત રાજપૂતને નિશાન બનાવવાનો પ્લાન હતો. જેમાં નવલસિંહ દ્વારા અભિજિતની હત્યા કરવા માટે અનેકવિધ પ્લાનિંગ કર્યા હતા અને કોઈ પીણાંમાં ઝેર આપવાનું પણ નક્કી કર્યું હતું. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળુ પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવો સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિકનો જીવ બચ્યો હતો. ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું સામે આવ્યું છે.