Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

બાંગ્લાદેશે સંબંધો સુધાર્યા : પાક.થી આવતી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરે

February 25, 2025

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી કટ્ટરવાદીઓના હાથમાં સત્તા આવી ગઈ છે. કાર્યકારી સલાહકાર મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધાર્યા છે. ભારત સાથેના સંબંધોમાં હાલ તંગદિલી ચાલી રહી છે. બાંગ્લાદેશ ભારતને બદલે હવે પાકિસ્તાનની વધુ નજીક સરકી રહ્યું છે. તેણે પાકિસ્તાનથી આવી રહેલી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

બંને દેશો વચ્ચે 54 વર્ષ પછી સીધો વેપાર થઈ રહ્યો છે. 1971માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા પડયા પછી પહેલીવાર પાક. સરકારની મંજૂરીથી બાંગ્લાદેશમાં કાર્ગો શિપ કરાચીના કાસિમ પોર્ટથી રવાના થયું છે. ફેબ્રુઆરીમાં બંને દેશોએ સીધો વેપાર કરવાના કરાર કર્યા હતા. આ પછી પાકિસ્તાનમાંથી 50,000 ટન ચોખા લઈને જહાજ બાંગ્લાદેશ જવા રવાના થયું છે.

બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી વધુ મજબૂત થયું છે જેણે પાક. સાથેના સંબંધો સુધારવા અને મૈત્રીપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો છે. મોહમ્મદ યુનુસની સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓના પ્રભાવ હેઠળ છે. પાકિસ્તાનમાંથી પહેલા તબક્કામાં 25,000 ટન ચોખા મોકલાયા છે અને માર્ચમાં બીજા 25,000 ટન ચોખા રવાના કરાશે. હવે ભારતમાંથી નિકાસ ઘટશે તેવી ભીતિ સેવાઈ રહી છે.