Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

બાંગ્લાદેશે સંબંધો સુધાર્યા : પાક.થી આવતી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરે

February 25, 2025

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી કટ્ટરવાદીઓના હાથમાં સત્તા આવી ગઈ છે. કાર્યકારી સલાહકાર મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધાર્યા છે. ભારત સાથેના સંબંધોમાં હાલ તંગદિલી ચાલી રહી છે. બાંગ્લાદેશ ભારતને બદલે હવે પાકિસ્તાનની વધુ નજીક સરકી રહ્યું છે. તેણે પાકિસ્તાનથી આવી રહેલી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

બંને દેશો વચ્ચે 54 વર્ષ પછી સીધો વેપાર થઈ રહ્યો છે. 1971માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા પડયા પછી પહેલીવાર પાક. સરકારની મંજૂરીથી બાંગ્લાદેશમાં કાર્ગો શિપ કરાચીના કાસિમ પોર્ટથી રવાના થયું છે. ફેબ્રુઆરીમાં બંને દેશોએ સીધો વેપાર કરવાના કરાર કર્યા હતા. આ પછી પાકિસ્તાનમાંથી 50,000 ટન ચોખા લઈને જહાજ બાંગ્લાદેશ જવા રવાના થયું છે.

બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી વધુ મજબૂત થયું છે જેણે પાક. સાથેના સંબંધો સુધારવા અને મૈત્રીપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો છે. મોહમ્મદ યુનુસની સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓના પ્રભાવ હેઠળ છે. પાકિસ્તાનમાંથી પહેલા તબક્કામાં 25,000 ટન ચોખા મોકલાયા છે અને માર્ચમાં બીજા 25,000 ટન ચોખા રવાના કરાશે. હવે ભારતમાંથી નિકાસ ઘટશે તેવી ભીતિ સેવાઈ રહી છે.