રાહુલ ગાંધી વિરુદ્ધ FIR, દિલ્હીમાં ભડકાઉ નિવેદન કર્યાના આરોપ હેઠળ આસામમાં ફરિયાદ
January 19, 2025
દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપ રાહુલ ગાંધીને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે, હાલમાં જ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતનો વિરોધ કરતા કહ્યું હતું કે, ‘અમે ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ.’ જો કે, આ નિવેદન કરવું તેમને ભારે પડ્યું છે. આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ ગંભીર બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધાવી છે. ચેતિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરા સમાન છે.
ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ નોંધાયેલી FIRમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 152 અને 197(1)નો ઉલ્લેખ કરાયો છે, જે દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી કોઈપણ કાર્યવાહી વખતે લગાવવામાં છે. આ કલમો બિનજામીનપાત્ર છે. વાસ્તવમાં દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું હતું. મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઉજવણી ભારતની ખરી આઝાદી તરીકે ઉજવવાનું નિવેદન આપ્યું હતું, જેના પર રાહુલ નિશાન સાધી કહ્યું હતું કે, ‘ભાગવતનું નિવેદન દર્શાવે છે કે ભાજપ (BJP) અને RSS દેશની સ્વતંત્રતા અને બંધારણ વિશે શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકોને ભારતના બંધારણમાં વિશ્વાસ નથી. ભાજપ અને આરએસએસ એક પછી એક તમામ સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે. અમે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે પણ લડી રહ્યા છીએ.
Related Articles
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું...
Mar 30, 2026
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છૂટછાટ
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિ...
Mar 30, 2026
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા? મોઇત્રાના નિવેદન બાદ વિવાદ
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું...
Mar 29, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા...
Mar 29, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળ...
Mar 29, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા, અખિલેશના પ્રહારો
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બં...
Mar 29, 2026
Trending NEWS
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026