Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

અમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન મામલે પ્રથમ કાર્યવાહી, અમૃતસરના 40 ટ્રાવેલ એજન્ટના લાઇસન્સ રદ

February 24, 2025

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોને લઈને પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આજે (24મી ફેબ્રુઆરી) અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. અમૃતસરના 40 જેટલા ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે (23મી ફેબ્રઆરી) સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલું ગ્રુપ હતું. અગાઉ અમેરિકાએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 332 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ ત્રણ વિમાનો દ્વારા ઘણાં ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 332 ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યા છે.  લાખો ભારતીયો હજુ પણ અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે, અને આ દેશનિકાલ ઝુંબેશ આગામી મહિનાઓમાં ચાલુ રહી શકે છે.