અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી રાખતું : ઈરાન

March 16, 2026

મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. જેમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ જણાવ્યું છે કે  જેફરી એપસ્ટેઈનના નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક લોકો ઈરાન પર દોષનો ટોપલો ઢોળવા 9/11 જેવા આતંકવાદી હુમલાનું  ષડયંત્ર રચી રહ્યા છે. 

લારીજાનીએ એક્સ પર એક પોસ્ટમાં, એ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે એપસ્ટેઈન નેટવર્કના બચી ગયેલા સભ્યો 9/11  જેવું ષડયંત્ર રચી રહ્યા છે અને તેની માટે ઈરાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આવા કોઈપણ આતંકવાદી કાવતરાની સખત નિંદા કરે છે અને અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી રાખતું .

ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યું છે. તેમજ તેનો બદલો લેવા ઈરાન ઇઝરાયલ સહિત આસપાસના દેશોમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. તેમજ  ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થળોને પણ નિશાન બનાવ્યા છે.