Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

54 વર્ષમાં પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર, ભારતને કેવી અસર થશે?

February 24, 2025

બાંગ્લાદેશની સત્તા પરથી શેખ હસીનાની વિદાય બાદ દેશની દિશા જ બદલાઈ ગઈ છે. બાંગ્લાદેશ ભારત સામે વિરોધ નોંધાવી પાકિસ્તાનનો અંગત મિત્ર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનમાંથી આયાત કરવા મંજૂરી આપી હતી. ત્યાંથી આવતા કાર્ગો પર ફિઝિકલ ચેકિંગ કરવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે બંને દેશો વચ્ચે સીધો કારોબાર કરવાની મંજૂરી મળી છે. બંને દેશો વચ્ચે આ કરારથી ભારતની નિકાસ પર અસર થશે. બાંગ્લાદેશમાં સૌથી વધુ આયાત ભારતમાંથી થાય છે.  1971 બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાંથી સરકારી મંજૂરી ધરાવતો માલ-સામાન બાંગ્લાદેશ રવાના થશે. આ કાર્ગો શીપ કરાંચીના કાસિમ પોર્ટથી રવાના થઈ ચૂકી છે. બાંગ્લાદેશની સ્થાપના 1971માં થઈ હતી. ત્યારથી અત્યારસુધી તેણે ક્યારેય પાકિસ્તાન સાથે સીધો કારોબાર કર્યો નથી. પાકિસ્તાન સાથે કારોબાર કરવા ફેબ્રુઆરીની શરૂઆતમાં જ બાંગ્લાદેશે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે હેઠળ 50,000 ટન પાકિસ્તાની ચોખાની આયાત કરવા મંજૂરી આપી છે. ચોખાની આ ખરીદી ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાનથી કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ એક પૂર્વ હિસ્સો પાકિસ્તાનનો જ હતો. જો કે, બાદમાં 1971માં પાકિસ્તાનમાંથી આ હિસ્સો અલગ થયા બાદ બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર દેશ બન્યો. પરંતુ વર્ષોથી સત્તાની કમાન સંભાળી રહેલા શેખ હસીનાની સત્તાનો પલટો થતાં જ ઈસ્લામિક કટ્ટરપંથીઓની તાકાત વધી છે.