Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

શોભાસણમાં વરઘોડામાં ઘુસી લુખ્ખા તત્ત્વો નાચવા ગયા, બહાર કાઢતા જાનૈયાઓ પર હુમલો

March 21, 2025

મહેસાણા : મહેસાણાના શોભાસણ ગામ ખાતે લગ્નના વરઘોડામાં 11 જેટલાં લુખ્ખા તત્ત્વો નાચવા ઘુસી ગયા હતા. આ પછી વરઘોડામાંથી બહાર કાઢતા ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને એક મહિલા સહિત 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
મહેસાણાના  શોભાસણ ગામ ખાતે લગ્નનો વરઘોડો નીકાળ્યો હતો. આ દરમિયાન અન્ય કુટુંબના શખ્સો વરઘોડોમાં ઘુસીને નાચવા લાગ્યા હતા. આ પછી પરિવારોએ એક મહિલા સહિત 11 લોકોને વરઘોડામાં નાચતા અટકાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેવામાં ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કર્યો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વરઘોડા દરમિયાન હુમલો કરનારા મહિલા 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.