Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

ઈન્ડોનેશિયામાં જાવા ટાપુ પર ભૂસ્ખલનથી તબાહી : 16 લોકોના મોત, 9 ગુમ

January 22, 2025

ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા છે અને 9 લોકો ગુમ છે. અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓએ રાહત અને બચાવ કામગીરી દરમિયાન 16 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા જેઓ જાવાના મુખ્ય ટાપુના પર્વતીય ક્ષેત્રમાં સ્થિત ગામોમાં અચાનક પૂરથી વહી ગયા હતા. આ મૃતદેહો કાટમાળ અને ખડકો નીચે દટાયેલા હતા. તેમણે કહ્યું કે પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં 9 લોકો ગુમ થયાના અહેવાલ છે.

સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા, બર્ગસ કટુરસારીએ જણાવ્યું હતું કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મધ્ય જાવા પ્રાંતમાં પેકાલોંગન રીજન્સીમાં નવ ગામોમાં નદીના પૂર આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પહાડી વિસ્તારમાં પહાડોના ઢોળાવ પરથી માટી અને ખડકો નીચે પડ્યા હતા, અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તેમણે કહ્યું કે બચાવકર્મીઓએ મંગળવાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત પેટુંગક્રિનો ગામમાંથી ઓછામાં ઓછા 16 મૃતદેહો બહાર કાઢ્યા છે. ગુમ થયેલા ગ્રામજનોની શોધખોળ ચાલુ છે.