Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ઈન્ડોનેશિયામાં જાવા ટાપુ પર ભૂસ્ખલનથી તબાહી : 16 લોકોના મોત, 9 ગુમ

January 22, 2025

ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા છે અને 9 લોકો ગુમ છે. અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓએ રાહત અને બચાવ કામગીરી દરમિયાન 16 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા જેઓ જાવાના મુખ્ય ટાપુના પર્વતીય ક્ષેત્રમાં સ્થિત ગામોમાં અચાનક પૂરથી વહી ગયા હતા. આ મૃતદેહો કાટમાળ અને ખડકો નીચે દટાયેલા હતા. તેમણે કહ્યું કે પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં 9 લોકો ગુમ થયાના અહેવાલ છે.

સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા, બર્ગસ કટુરસારીએ જણાવ્યું હતું કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મધ્ય જાવા પ્રાંતમાં પેકાલોંગન રીજન્સીમાં નવ ગામોમાં નદીના પૂર આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પહાડી વિસ્તારમાં પહાડોના ઢોળાવ પરથી માટી અને ખડકો નીચે પડ્યા હતા, અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તેમણે કહ્યું કે બચાવકર્મીઓએ મંગળવાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત પેટુંગક્રિનો ગામમાંથી ઓછામાં ઓછા 16 મૃતદેહો બહાર કાઢ્યા છે. ગુમ થયેલા ગ્રામજનોની શોધખોળ ચાલુ છે.