Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!

October 16, 2025

આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને સમૃદ્ધિ અને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માતા લક્ષ્મી પાંચ રાશિના જાતકો પર વિશેષ કૃપા કરે છે. તો ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મીનો વિશેષ કૃપા બની રહે છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી છે. આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે, અને આ રાશિના જાતકો ધીરજવાન, મહેનતુ અને સ્થિર હોય છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિઓ પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ હોય છે. આ રાશિના મહેનત કરનારા જાતકો જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. 

કન્યા રાશિ

કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે અને તે પૃથ્વી તત્વ સાથે સબંધિત છે. આ રાશિના જાતકો મહેનતુ, વિશ્વાસપાત્ર અને ટીમવર્કમાં વિશ્વાસ રાખનારા હોય છે. માતા લક્ષ્મી જીવનમાં તેમને ક્યારેય ધન-સંપત્તિની કમી નથી થવા દેતી અને તેમની મહેનતને ફળદાયી બનાવે છે. 

તુલા રાશિ

રાશિચક્રની સાતમી રાશિ તુલા છે, જે વાયુ તત્વની રાશિ છે. આ રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહ છે. આ રાશિના જાતકો મહેનતુ હોવાની સાથે-સાથે મૈત્રીપૂર્ણ, ન્યાયી, સર્જનાત્મક અને કલાત્મક હોય છે. તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. 

કુંભ રાશિ

જ્યોતિશ શાસ્ત્ર પ્રમાણે કુંભ રાશિચક્રની 11મી રાશિ છે અને તે વાયુ તત્વ સાથે સબંધિત છે. આ રાશિના જાતકો આત્મનિર્ભર, મહેનતુ, સામાજિક રીતે સભાન અને વિચારશીલ હોય છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

મીન રાશિ

મીન રાશિ જળ તત્વની રાશિ છે. આ રાશિનો સ્વામી ગુરુ છે, જે ધનનો કારક ગ્રહ છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે મીન રાશિના લોકો દયાળુ અને કલાત્મક હોય છે. તેમના ગુણો માતા લક્ષ્મીને વિશેષ રૂપે પ્રસન્ન કરે છે. તેથી માતા લક્ષ્મીની તેમના પર હંમેશા કૃપા બની રહે છે.