Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

પેલેસ્ટિનિયન રાજદૂતનો અમેરિકી રાષ્ટ્રપતિ પર ગુસ્સો

February 15, 2025

ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને દૂર કરવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાને ટ્રમ્પના પ્રસ્તાવને મજાક ગણાવ્યો. રમઝાન ટ્રમ્પ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, જે નીતિગત દૃષ્ટિકોણથી યોગ્ય નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવ મૂક્યો છે કે અમેરિકા ગાઝા પર કબજો કરે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના રાજદૂત યુસુફ રમઝાને આ પ્રસ્તાવને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો છે. બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુનમાં પ્રકાશિત પોતાના લેખમાં રમઝાને લખ્યું છે: ટ્રમ્પ જે વલણ અપનાવી રહ્યા છે તે શાંતિ લાવવાને બદલે વધુ લોકોને ગુસ્સે કરશે.

ટ્રમ્પને ખબર નથી કે ગાઝાના લોકો શું ઇચ્છે છે?, રમઝાનના મતે, નેતન્યાહૂ ગાઝામાં નિર્દોષ લોકોને ત્રાસ આપીને પોતાની સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેતન્યાહૂ જાણે છે કે જ્યાં સુધી ગાઝામાં સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ સત્તામાં રહેશે. અમેરિકા તેનું સાથી છે, તેથી ગાઝાના લોકો ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ કરે તેવી શક્યતા ઓછી છે.