મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
December 13, 2024

દિલ્હી : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ગુરૂવારે ડેપ્યુટી સીએમ અજિત પવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે સમયે તેમણે એનસીપીને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ આપવાની માગ કરતાં ચીમકી પણ આપી હતી. પવારે કહ્યું કે, જો તેમને આ ખાતું સોંપવામાં ન આવ્યું તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેતો નથી. અજિત પવારની અમિત શાહ સાથેની મુલાકાત બાદ એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ આ અંગે જણાવ્યું હતું.
અમોલ મિટકરીએ જણાવ્યું હતું કે, અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો સરકારનો કોઈ અર્થ રહેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન અજિત પવાર સાથે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે અને અજિત પવારના પત્ની ઉપસ્થિત હતા. 2024ની ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવેલી મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના અને ખેડૂતો માટે વીજ બીલ માફી જેવી યોજનાઓના લીધે સરકાર પર નાણાકીય બોજો પડે નહીં તેનું ધ્યાન અજિત પવાર સારી રીતે રાખી શકે છે. મહારાષ્ટ્રમાં નાણાકીય રીતે અનુશાસન માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અજિત પવારને જ સોંપવું જોઈએ.
મિટકરીએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલય અજિત પવાર માટે એકદમ યોગ્ય છે. તે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ માટે પરફેક્ટ નેતા છે. અમને જાણવા મળ્યું છે કે, ગૃહ મંત્રાલય ભાજપને મળી રહ્યું છે. તે તેમના માટે યોગ્ય છે. પરંતુ નાણાં મંત્રાલય એનસીપી માટે અનુકૂળ છે. જો અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો મહાયુતિ હોવાનો કોઈ અર્થ નથી. સંસદ ભવનમાં શાહને મળ્યા બાદ અજિત પવારે કહ્યું કે અમે શેરડી મુદ્દે ચર્ચા કરી. મેં અમિત શાહને શેરડીના ભાવ વધારવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. અજિત પવારે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પર 14 જાન્યુઆરીએ ચર્ચા કરવામાં આવશે. જો કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેબિનેટ વિસ્તરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025