શરદ પવારે ત્રીજી યાદી જાહેર કરી, સ્વરા ભાસ્કરના પતિને ફાળવી બેઠક
October 27, 2024

ચિંચવડ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ટિકિટ ફાળવણી મુદ્દે સપાનો વિવાદ હજી થંભ્યો નથી, ત્યાં એનસીપી નેતા શરદ પવારે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પક્ષના વધુ નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં શરદ પવાર જૂથે અણુશક્તિ નગરમાંથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ ફાળવી છે. ફહાદ અહમદ સપામાં હતા, પરંતુ હવે તે એનસીપી શરદ જૂથમાં જોડાયા છે.
એનસીપી-એસસીપીમાં સામેલ થયા બાદ ફહાદ અહમદે જણાવ્યું કે, હું પહેલાં નેતૃત્વ દળ સાથે મુલાકાત કરીશ બાદમાં નિવેદન આપીશ... એનસીપી-એસસીપીની વિચારધારા સમાજવાદી પાર્ટીની વિચારધારાથી અલગ નથી. હું શરદ પવારનો આભાર માનીશ કે, તેમણે અખિલેશ યાદવને પૂછ્યું કે, અમે ફહાદનું નામ અમારા પક્ષના ચિન્હ સાથે જાહેર કરીએ...
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ)એ મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકમાં કુલ 85 બેઠકો પર લડવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રથમ યાદીમાં 45, બીજી યાદીમાં 22 ઉમેદવારો ઉતાર્યા હતા. આ યાદીમાં પક્ષના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરને બીડમાંથી, નાસિકના ડિંડોરીમાંથી સુનીતા ચારોસ્કરને ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં બારામાતીથી અજીત પવારની સામે તેમના જ ભત્રીજા યુગેન્દ્ર પવારને ઉતાર્યા છે. અત્યારસુધી કુલ 76 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનસીપી મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં રહી ચૂંટણી લડશે.
- ત્રીજી યાદીમાં આ ઉમેદવારોને મળી ટિકિટ
1. કરંજા- જ્ઞાયક પટણી
2. હિંગણઘાટ- અતુલ વાંદિલે
3. હિંગણા- રમેશ બંગ
4. અણુશક્તિનગર- ફહાદ અહમદ
5. ચિંચવડ- રાહુલ કલાટે
6. ભોસારી- અજિત ગહ્વાણે
7. માઝલગાંવ- મોહન બાજીરાવ જગતાપ
8. પરલી- રાજેસાહેબ દેશમુખ
9. મોહોલ- સિદ્ધિ રમેશ કદમ
Related Articles
ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્...
Jul 21, 2025
હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્ર પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવાનો હ...
Jul 21, 2025
ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવાનો દાવો કરતાં વિપક્ષ ટેન્શનમાં મૂકાયો
ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવ...
Jul 21, 2025
'કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો...', સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો
'કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડ...
Jul 21, 2025
'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા', ખડગેએ સરકારને ઘેરી
'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ...
Jul 21, 2025
2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર
2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરો...
Jul 21, 2025
Trending NEWS

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025

21 July, 2025
21 July, 2025

21 July, 2025