Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

1948થી અત્યાર સુધી 60 લાખ લોકોનું પલાયન, હવે ફરી ગાઝાના લોકોને અરબ દેશોમાં ટ્રાન્સફર કરવા માંગે છે ટ્રમ્પ

January 28, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગાઝાથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને જોર્ડન, ઈજિપ્ત અને અન્ય અરબ દેશોમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે પેલેસ્ટિનિયનો શાંતિથી રહી શકે તે માટે અન્યત્ર આવાસો બનાવવાનું સૂચન આપ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારને સાફ કરવામાં આવે અને વસ્તીને ખાલી કરી દેવામાં આવે. પરંતુ ટ્રમ્પનું આ સૂચન કેટલું યોગ્ય છે અને તેની ગાઝા અને આરબ દેશો પર શું અસર પડશે. ગાઝા 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ ઈઝરાયલી હુમલાઓથી તબાહ થઈ ગયું છે. આ વચ્ચે ટ્રમ્પનો પ્રસ્તાવ ન માત્ર ગાઝાના 2.3 મિલિયન પેલેસ્ટિનિયનોને પોતાના ઘરમાંથી બહાર કાઢવાની શક્યતાને વધારે છે પરંતુ તે અરબ દેશોને પણ ચિંતામાં મૂકે છે. 
1948માં ઈઝરાયલની સ્થાપના બાદ લગભગ 60 લાખ પેલેસ્ટિનિયનો પલાયન કરી ગયા હતા. તે સમયે ઘણા લોકો જોર્ડન, સીરિયા અને લેબનોન જેવા પડોશી અરબ દેશોમાં આશ્રય લેવા ગયા હતા. ઘણા લોકો હજુ પણ શરણાર્થી કેમ્પમાં જ રહી રહ્યા છે. આ દુ:ખદ ઈતિહાસને જોતાં ગાઝાના લોકો કોઈપણ પ્રકારના નવા પલાયનથી ભયભીત છે, જે તેમને ફરીથી કાયમ માટે બેઘર કરી શકે છે. 1967ના મિડલ ઈસ્ટના યુદ્ધમાં જ્યારે ઈઝરાયલે વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હતો ત્યારે 3 લાખથી વધુ પેલેસ્ટિનિયનો ફરીથી પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા, જેમાંથી મોટાભાગના જોર્ડન ગયા. ગાઝા છોડીને અરબ દેશોમાં ગયેલા લોકોની સંખ્યા 60 લાખ છે, જેમાંથી મોટાભાગના લોકો વેસ્ટ બેંક, ગાઝા, લેબનોન, સીરિયા અને જોર્ડનમાં કેમ્પ અને સમુદાયોમાં રહે છે. આ વખતે ગાઝામાં ઈઝરાયે હુમલામાં મોટાભાગના શહેરી વિસ્તારોને નષ્ટ કરી દીધા. પેલેસ્ટિનિયન અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું કહેવું છે કે, હવે ગાઝામાં સુરક્ષિત સ્થળો નહીવત્ પ્રમાણમાં છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા આ સંકટ વધુ ઘેરુ બન્યું છે. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝામાં 47,000થી વધુ પેલેસ્ટિનિયનોનો જીવ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે ગાઝાના 2.3 મિલિયન લોકોમાંથી 85% લોકો પહેલાથી જ પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થઈ ચૂક્યા છે.