દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં આગ લાગી

June 14, 2025

દિલ્હીના જનપથ રોડ પર આવેલા બાંધકામ હેઠળના CCS બિલ્ડિંગમાં શનિવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતાંજ તાત્કાલિક 13 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા અને આગ બુઝાવવાનું કામ ચાલુ છે. તકેદારીના ભાગરૂપે સ્થળ પર હાજર તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

આ ઘટનાની વધુ માહિતી હજી મળવાની બાકી છે. આગ લાગવાનું કારણ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક થવાનું મનાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે મકાનનો એક ભાગ સંપૂર્ણપણે બળી ગયો હતો.

પટપરગંજ ગામના મકાનમાં બપોરે લગભગ 2 વાગ્યે આગ લાગી હોવાનું ફોન મળતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક મોકલવામાં આવી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી યોગેન્દ્રસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગે આસપાસના મકાનો સુધી ફેલાવા નહીં દીધી."