24 જ કલાકમાં મહારાષ્ટ્રના નવા CMના નામની થશે જાહેરાત: વિનોદ તાવડે
November 23, 2024
દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી ગઈ છે. ભાજપ 133 બેઠકો સાથે મહાયુતિમાં સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. શિવસેનાને 53 અને એનસીપીને 41 બેઠકો મળી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને પૂછવામાં આવ્યું કે, મહાગઠબંધનમાં ભાજપને સૌથી વધુ બેઠકો છે, તો શું આ વખતે મુખ્યમંત્રી ભાજપનો જ હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના ટોચના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે.
મુખ્યમંત્રી કઈ પક્ષના હશે તેના જવાબમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. તાવડેએ કહ્યું કે, 'સરકારના વડા કોણ હશે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મળીને કેન્દ્રીય નેતૃત્વ આજે રાત્રે અથવા આવતી કાલ બપોર સુધીમાં નક્કી કરશે.' તાવડેએ કહ્યું, 'કેન્દ્રીય નેતૃત્વની બેઠક બાદ જ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. હું અટકળોમાં માનતો નથી, હું તથ્યો પર વાત કરું છું. હકીકત એ છે કે, કેન્દ્રમાં નેતૃત્વ સાથે બેઠક કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ જનાદેશ ભાજપ, શિવસેના અને એનસીપીના પક્ષમાં છે એટલે કે મહાયુતિના પક્ષમાં છે.
વિનોદ તાવડેએ કહ્યું, 'બંધારણ મુજબ 26મીએ નવી સરકારની રચના થવી જોઈએ, આ વાત પાક્કી છે. આજે તમામ કેન્દ્રીય નેતાઓ ભાજપ હેડક્વાર્ટર ખાતે મળીને આ જીતની ઉજવણી કરશે. સંસદીય બોર્ડની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Related Articles
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને...
Apr 01, 2026
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા લશ્કર-એ-તય્યબાના આંતકીની દિલ્હીમાં ધરપકડ
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા...
Apr 01, 2026
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરી બે આરોપીની ધરપકડ
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડ...
Apr 01, 2026
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈકોર્ટ
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમ...
Apr 01, 2026
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ...
Mar 31, 2026
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મંદિરમાં મોટી દુર્ઘટના, અનેક ઈજાગ્રસ્ત
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શી...
Mar 31, 2026
Trending NEWS
01 April, 2026
01 April, 2026
31 March, 2026
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026