જૂનાગઢ અને વિસાવદરના રાજકારણમાં કઇંક નવાજૂની થવાની શક્યતા
July 20, 2025
વિસાવદર : વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપની હાર પાછળ પૂર્વ મંત્રી જવાહર ચાવડાની નારાજગી જવાબદાર છે. આપ નેતા ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ નારાજ જવાહર ચાવડા ફરી એક વાર વિસાવદરમાં સક્રિય થતાં કઈંક નવાજૂની થશે તેવી અફવાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જવાહર ચાવડાએ પ્રદેશ ભાજપ નેતાગીરીને સંદેશ આપ્યો છે કે, 'મારી અવગણના કરવી ભાજપને ભારે પડશે.'
પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઘણાં સમયથી ભાજપથી નારાજ છે. કારણ કે, માણાવદર બેઠક પર થયેલી ચૂંટણી વખતે કિરીટ પટેલને કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે જવાહર ચાવડાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પુરાવા સાથે પત્ર લખી શિસ્તભંગના પગલાં લેવા રજૂઆત કરી હતી. પણ પાટીલે કાર્યવાહી કરવાને બદલે કિરીટ પટેલને જ વિસાવદર પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી. આ કારણોસર રાજકીય બદલો લેવા જવાહર ચાવડાએ પદડા પાછળ રહીને આપને મદદ કરી હતી, જેથી ગોપાલ ઈટાલિયાનો વિજય થયો હતો.
પેટાચૂંટણીમાં ભાજપની એકેય ચૂંટણી સભા કે પ્રચાર વખતે જવાહર ચાવડા ક્યાંય ડોકાયાં ન હતાં. પરંતુ ગોપાલ ઈટાલિયાના વિજય બાદ હવે જવાહર ચાવડા ગામડે ગામડે ફરી રહ્યાં છે. જ્યાં ભાજપનો જાકારો મળ્યો છે તે વિસ્તારમાં ચાવડાનું જોરદાર સ્વાગત થઈ રહ્યુ છે. ચાવડા હવે શક્તિ પ્રદર્શન કરી ભાજપને સંદેશ આપી રહ્યાં છે.
એવી ચર્ચા છે કે, જવાહર ચાવડા પક્ષમાં જ રહીને ભાજપને નુકસાન પહોંચાડવા માંગે છે. પ્રદેશ ભાજપ નેતાગીરી પણ જવાહર ચાવડા સામે શિસ્તભંગના પગલાં લે તેવી શક્યતા નથી. આ દરમિયાન જૂનાગઢ અને વિસાવદરના રાજકારણમાં કઇંક નવાજૂની થવાની શક્યતા જોવાઇ રહી છે.
Related Articles
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026