Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા, તબિયતમાં સતત સુધારો

March 01, 2025

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા છે. રોમની હૉસ્પિટલમાં દાખલ 88 વર્ષીય પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તબીબે જણાવ્યુ છે કે પોપે ન્યૂમોનિયાના ગંભીર સંક્રમણના સ્ટેજને પાર કરી લીધો છે. પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે હજુ થોડા સમય લાગશે. પોપને શ્વાસ લેવામાં હવે સરળતા છે. અગાઉ તેઓને ઓક્સિજન આપવામાં આવતા હતા.

રોમની હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેમને હાલ માસ્ક મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. પોપ નિયમિત રીતે ફિઝિયોથેરાપી પણ લઇ રહ્યા છે. ન્યૂમોનિયાના કારણે વર્ષમાં 25 લાખથી વધુના મોત થાય છે. આ ગંભીર બીમારીને પોપે જૈફ વયે માત આપી છે.