ભાજપ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ - કેજરીવાલ
January 12, 2025
દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે ભાજપને બે મોટા પડકારો આપ્યા છે. ઝૂંપડપટ્ટીઓ અંગે કેજરીવાલે કહ્યું કે જેમના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે તેમને એ જ જગ્યાએ ઘર બનાવી આપવામાં આવે અને તેમની સામેના કેસ પાછા ખેંચવામાં આવે. જો ભાજપ આ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે 27 ડિસેમ્બરે ઉપરાજ્યપાલે શકુર બસ્તી રેલ્વે કોલોની પાસે બનેલી ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. કેજરીવાલે કહ્યું કે દસ વર્ષમાં ભાજપે ઝૂંપડપટ્ટી જગ્યાએ ફક્ત 4700 ઘર આપ્યા છે જ્યારે દિલ્હીમાં ચાર લાખ ઝૂંપડા છે. ભાજપ આગામી એક વર્ષમાં બધી ઝૂંપડપટ્ટી તોડી પાડવા જઈ રહ્યો છે.
ચૂંટણી પૂરી થતાં જ ભાજપ બધા ઝૂંપડા તોડી પાડશે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ ઝૂંપડપટ્ટીના લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. ભાજપ કહે છે કે તે ઝૂંપડપટ્ટી હટાવીને ઘર આપશે પરંતુ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ રેલ્વેએ આ જમીનનું ટેન્ડર જાહેર કર્યું છે. 15 દિવસ પહેલા ઉપરાજ્યપાલે આ ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ખ્યાલ નથી કે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પૂરી થતાં આ ઝૂંપડપટ્ટી તોડી પાડશે. કેજરીવાલે કહ્યું છે કે અમિત શાહ ઝૂંપડપટ્ટીવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપ કહે છે કે 'જ્યાં ઝૂંપડા, ત્યાં મકાન' આપીશું પણ એવું નથી કહેતા કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં તેમના મિત્રો અને બિલ્ડર્સના મકાન બનશે. આખી દુનિયા જાણે છે કે તેમના એક જ મિત્ર છે અને પોતાના મિત્રને આપવા માટે તેમની ખરાબ નજરો હવે તમારા ઝૂંપડા પર પડી ગઈ છે. આ દરમિયાન પાયલટે કહ્યું કે, 'કોંગ્રેસ પોતાના વચનો પૂર્ણ કરવા પોતાની જવાબદારી સમજે છે. તુ તુ મેં મેંની રાજનીતિ ખતમ કરીને, અમે રચનાત્મક રાજનીતિ કરીશું. જો કોંગ્રેસ જીતશે, તો અમે ખાસ કરીને યુથ પર ફોકસ કરીશું. અમારી સરકાર આવશે, તો દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને એક વર્ષની અપ્રેન્ટિસશિપ હેઠળ 8500 રૂપિયા દર મહિને આપીશું. યુવાનોને આ દરમિયાન તેમની ફિલ્ડમાં પણ કામ અપાવીશું. દિલ્હીમાં નામ પોકારવાની રાજનીતિ જોવા મળી રહી છે અને લોકોને નવા વિકલ્પની જરૂર છે.' પાયલટે ઈન્ડિયા બ્લોકમાં ભંગાણ થવા પર કહ્યું કે, 'દરેક રાજ્યની પોતાની રાજનીતિ હોય છે. પંજાબમાં આપ અને કોંગ્રેસ બંને એક-બીજાની સામે લડ્યા હતા. ઈન્ડિયા બ્લોક મજબૂત છે. દરેક રાજ્ય એકમોની સ્થિતિ અળગ છે. લોકસભા ચૂંટણી વચ્ચે લોકશાહી બચાવવા માટે ઈન્ડિયા બ્લોક બનાવાયું હતું.'
Related Articles
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું...
Mar 30, 2026
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છૂટછાટ
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિ...
Mar 30, 2026
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા? મોઇત્રાના નિવેદન બાદ વિવાદ
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું...
Mar 29, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા...
Mar 29, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળ...
Mar 29, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા, અખિલેશના પ્રહારો
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બં...
Mar 29, 2026
Trending NEWS
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026