Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા

July 12, 2025

દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો 8માં પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આશા છે કે, હવે ટુંક સમયમાં કમિશન રચાશે, જેનો લગભગ 1.1 કરોડ લાભાર્થીઓને લાભ મળશે. સરકારી રિપોર્ટ પ્રમાણે 2026-27 નાણાકીય વર્ષ (FY27)સુધી 8માં પગાર પંચની ભલામણો લાગુ કરી શકાય છે. તેનો ઉદ્દેશ્ય માત્ર કર્મચારીઓની આવક વધારવાનો જ નહીં પરંતુ, વપરાશમાં વૃદ્ધિ કરીને અર્થતંત્રને વેગ આપવાનો પણ છે. Ambit Institutional Equitiesના એક રિપોર્ટ મુજબ 8મા પગાર પંચની ભલામણો લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં 30% થી 34% સુધીનો વધારો થઈ શકે છે. આ સંભવિત વધારો લગભગ 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ મળશે. એટલે કે કુલ લગભગ 1.12 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે. જોકે, આ પગાર અને પેન્શન વધારાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને લગભગ ₹ 1.8 લાખ કરોડનો વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે. જે સરકારના કુલ નાણાકીય ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે.