બંગાળમાં મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે વાંધો પડ્યો
January 05, 2025
બંગાળ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે વાંધો પડ્યો હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે, બંને વચ્ચેના મતભેદની અસર પાર્ટી પર પણ પડી છે અને આ મતભેદનો કોઈ અંત ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મમતા બેનરજી બાદ પાર્ટીના બીજા નંબરના નેતા અભિષેક બેનરજી કલાકારોના બહિષ્કારના કારણે નારાજ થયા છે. વાસ્તવમાં કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ટીએમસી સરકારના વલણની ટીકા કરનારા કલાકારોનો બહિષ્કાર કરાયો છે. આ જ ક્રમમાં ટીએમસીના કાઉન્સિલરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગાયક લગ્નજીતા ચક્રવર્તીના યોજાનારા કાર્યક્રમ રદ કર્યો હતો. જોકે અભિષેક કલાકારોના બહિષ્કારના પક્ષમાં નથી.
કાર્યક્રમ રદ થયા બાદ સીનિયર પ્રવક્તા કુણાલ ઘોષે 31 ડિસેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, લોકો વિરોધ કરવા માટે સ્વતંત્ર છે અને કલાકારોને રેલી કરવાની આઝાદી છે. જોકે તેમણે એમ પણ લખ્યું હતું કે, જે કલાકારોએ જાણીજોઈને બદનામી કરી, મુખ્યમંત્રી, સરકાર અને પાર્ટી પર પ્રહારો કર્યા, સરકાર પાડવાની વાત કહી, તૃણમુલ સમર્થકોનું અપમાન કર્યું અને ખોટી માહિતી ફેલાવી, તેઓએ તૃણમુલ નેતાઓ દ્વારા યોજાનાર કોઈપણ મંચ પર ન આવવા જોઈએ. તેમનો બહિષ્કાર કરવો જોઈએ. એટલું જ નહીં, ઘોષે વધુમાં કહ્યું કે, જો કોઈ તૃણમૂલ નેતા સંમત ન હોય તો તેઓએ પાર્ટીના નેતૃત્વની સલાહ લેવી જોઈએ. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોની ભાવનાઓનું સન્માન કરે. ઘોષની વાતથી સ્પષ્ટ થાય છે કે, તેમણે તેવા નેતાઓને રસ્તો દેખાડી દીધો છે, જેઓ બહિષ્કારનો વિરોધ કરી રહ્યા છે.
Related Articles
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને...
Apr 01, 2026
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા લશ્કર-એ-તય્યબાના આંતકીની દિલ્હીમાં ધરપકડ
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા...
Apr 01, 2026
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરી બે આરોપીની ધરપકડ
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડ...
Apr 01, 2026
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈકોર્ટ
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમ...
Apr 01, 2026
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ...
Mar 31, 2026
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મંદિરમાં મોટી દુર્ઘટના, અનેક ઈજાગ્રસ્ત
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શી...
Mar 31, 2026
Trending NEWS
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026