બંગાળમાં મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે વાંધો પડ્યો
January 05, 2025

બંગાળ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે વાંધો પડ્યો હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે, બંને વચ્ચેના મતભેદની અસર પાર્ટી પર પણ પડી છે અને આ મતભેદનો કોઈ અંત ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મમતા બેનરજી બાદ પાર્ટીના બીજા નંબરના નેતા અભિષેક બેનરજી કલાકારોના બહિષ્કારના કારણે નારાજ થયા છે. વાસ્તવમાં કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ટીએમસી સરકારના વલણની ટીકા કરનારા કલાકારોનો બહિષ્કાર કરાયો છે. આ જ ક્રમમાં ટીએમસીના કાઉન્સિલરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગાયક લગ્નજીતા ચક્રવર્તીના યોજાનારા કાર્યક્રમ રદ કર્યો હતો. જોકે અભિષેક કલાકારોના બહિષ્કારના પક્ષમાં નથી.
કાર્યક્રમ રદ થયા બાદ સીનિયર પ્રવક્તા કુણાલ ઘોષે 31 ડિસેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, લોકો વિરોધ કરવા માટે સ્વતંત્ર છે અને કલાકારોને રેલી કરવાની આઝાદી છે. જોકે તેમણે એમ પણ લખ્યું હતું કે, જે કલાકારોએ જાણીજોઈને બદનામી કરી, મુખ્યમંત્રી, સરકાર અને પાર્ટી પર પ્રહારો કર્યા, સરકાર પાડવાની વાત કહી, તૃણમુલ સમર્થકોનું અપમાન કર્યું અને ખોટી માહિતી ફેલાવી, તેઓએ તૃણમુલ નેતાઓ દ્વારા યોજાનાર કોઈપણ મંચ પર ન આવવા જોઈએ. તેમનો બહિષ્કાર કરવો જોઈએ. એટલું જ નહીં, ઘોષે વધુમાં કહ્યું કે, જો કોઈ તૃણમૂલ નેતા સંમત ન હોય તો તેઓએ પાર્ટીના નેતૃત્વની સલાહ લેવી જોઈએ. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોની ભાવનાઓનું સન્માન કરે. ઘોષની વાતથી સ્પષ્ટ થાય છે કે, તેમણે તેવા નેતાઓને રસ્તો દેખાડી દીધો છે, જેઓ બહિષ્કારનો વિરોધ કરી રહ્યા છે.
Related Articles
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અ...
Jul 12, 2025
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ...
Jul 12, 2025
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં...
Jul 12, 2025
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025