ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
May 22, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતે 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના 86 જિલ્લામાં રિડેવલપ થયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ PM મોદીએ કુલ રૂ. 26000 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મૂક્યા હતાં. આ પ્રોજેક્ટમાં 1000 કિલોમીટરનો રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત મોટા રોડ પ્રોજેક્ટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો 900 કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા.
આ યોજનાનો ઉદ્દેશ દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કાનાલુસ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલીતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉત્રાણ, કોસંબા અને ડાકોર સહિતના સ્ટેશનોનો કાયાકલ્પ થઈ જશે.
રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1300 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવાનો લક્ષ્યાંક છે, જેને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે. આ યોજના હેઠળ જ આજે વડાપ્રધાને રિડેવલપમેન્ટ કરાયેલા 103 રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું છે.
Related Articles
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં...
May 24, 2025
અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત
અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થત...
May 24, 2025
ગુજરાતમાં 27 મે સુધી પવન-ગાજવીજ સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં યલો ઍલર્ટ
ગુજરાતમાં 27 મે સુધી પવન-ગાજવીજ સાથે વરસ...
May 23, 2025
કરોડો ઘરમાં આવે અને પિતાને કેમ જાણ ન હોય, કૌભાંડમાં CBI તપાસ થાય: કોંગ્રેસ
કરોડો ઘરમાં આવે અને પિતાને કેમ જાણ ન હોય...
May 23, 2025
અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી
અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, પવન...
May 23, 2025
કેવડિયામાં ચોમાસા પહેલાં આદિવાસીઓના મકાન તોડી પાડવા યોગ્ય નહીં- મનસુખ વસાવા
કેવડિયામાં ચોમાસા પહેલાં આદિવાસીઓના મકાન...
May 23, 2025
Trending NEWS

23 May, 2025

22 May, 2025

22 May, 2025