Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓ પર તવાઈ, 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ, 1.10 કરોડ લોકો પર હજુ સંકટ

March 13, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સત્તા સંભાળ્યા બાદ દેશમાં ગેરકાયદેસર રહેનારા લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ તંત્રે ગેરકાયદે લોકો વિરુદ્ધ દેશનિકાલનું અભિયાન શરૂ કર્યા બાદ 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ કરી છે. જ્યારે જાન્યુઆરી 2025 સુધીમાં અંદાજ મુજબ આશરે 1 કરોડ 10 લાખ લોકો દસ્તાવેજ વગરના ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ICE)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના શપથ ગ્રહણના એક દિવસ બાદ એટલે કે 21 જાન્યુઆરીથી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે દેશમાં ગેરકાયદે રહેતા 32,000થી વધુ ઈમિગ્રન્ટની ધરપકડ કરી છે. આઈસીઈ દ્વારા કરવામાં આવેલી મોટા પાયે ધરપકડો ‘ક્રિમિનલ એલિયન પ્રોગ્રામ’ અને ‘287g’ નામના કાર્યક્રમ હેઠળ કરાઈ છે. ઈમિગ્રેશન અધિકારીઓએ 50 દિવસમાં 14000થી વધુ દોષિત ગુનેગારો, 9800 સ્થળાંતર કરનારાઓ (ગુનાહિત આરોપો બાકી), 1155 શંકાસ્પદ ગેંગ સભ્યો, 44 વિદેશી ભાગેડુઓની ધરપકડ કરી છે.

પીઈડબલ્યુ રિસર્ચ સેન્ટર અને માઈગ્રેશન પોલિસી વેબસાઈટના ડેટા મુજબ, જાન્યુઆરી 2025 સુધીમાં અમેરિકામાં દસ્તાવેજ વગરના અંદાજે 11 મિલિયન (1 કરોડ 10 લાખ) ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે રહેનારા લોકોની સંખ્યાનો અંદાજ કુલ વસ્તીના આશરે 3.2% - 3.6% છે, જે સંખ્યા બદલાતી રહી છે, જોકે આ આંકડાને કુલ વસ્તીનો નોંધપાત્ર ભાગ કહી શકાય છે. PEW રિસર્ચ સેન્ટર અનુસાર, 2022માં યુનાઇટેડ સ્ટેટ્સમાં અનધિકૃત ઈમિગ્રન્ટ વસ્તી વધીને 1.10 કરોડ પર પહોંચી ગઈ હતી. 2007માં ગેરકાયદે રહેનારાઓની સંખ્યા 12.2 મિલિયને પહોંચી ગઈ હતી. 

બીજીતરફ ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાએ 2009થી 2024ની વચ્ચે આશરે 16,000 ભારતીયોનો દેશનિકાલ કર્યો હતો. યુએસના પૂર્વ પ્રમુખ ઓબાના કાર્યકાળમાં 750 ભારતીયોનો, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 1550 લોકોનો જ્યારે બાઈડે સરકારના કાર્યકાળમાં 900 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.