Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના તુરબતમાં સેનાના કાફલા પર આતંકી હુમલો

March 15, 2025

શાહબાઝ શરીફના દેશમાં સેના પર મોટો આતંકી હુમલો થયો છે. બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર આ હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો IED બ્લાસ્ટની મદદથી કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

બલૂચ સેનાએ ગઈકાલે એટલે કે શુક્રવારે પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા તમામ 214 સૈનિકોને મારી નાખ્યા હતા. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ કહ્યું કે તેણે પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. પરંતુ પાકિસ્તાન આર્મી અને શાહબાઝ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. તેની જીદના કારણે 214 જવાનો શહીદ થયા છે.

પાકિસ્તાની સેનાએ ગઈ કાલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે બલૂચિસ્તાન ટ્રેન હુમલામાં માર્યા ગયેલા 26 બંધકોમાંથી 18 સુરક્ષાકર્મીઓ હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે સેનાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા આતંકવાદીઓએ 26 બંધકોને મારી નાખ્યા હતા. 18 સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત ત્રણ અન્ય સરકારી અધિકારીઓ અને પાંચ નાગરિકો સામેલ હતા.