Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

'અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા...', ટ્રેન હાઈજેક કરનાર BLAના દાવાથી ખળભળાટ

March 15, 2025

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરનાર ભાગલાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હવે મોટો દાવો કર્યો છે. BLAનું કહેવું છે કે અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા છે. માર્યા ગયેલા તમામ 214 બંધકો પાકિસ્તાની આર્મીના સૈનિકો હતા. BLAના આ દાવા સાથે પાકિસ્તાનની પોલ ખુલતી દેખાઈ રહી છે કેમ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે ટ્રેન હાઈજેક કરનારા 33 બલૂચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે અને તમામ બંધકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે મંગળવારે બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના બોલાન નજીક ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી. ટ્રેનમાં 450 થી વધુ લોકો હાજર હતા, પરંતુ BLAએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાની સેનાએ બુધવારે દાવો કર્યો હતો કે  જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બંધક બનાવી લેવાયેલા લોકોને મુક્ત કરાવવાન ઓપરેશનમાં તમામ 33 BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પણ કહ્યું હતું કે અમે તમામ બંધકોને બચાવી લીધા છે. જો કે, પાકિસ્તાની સેનાએ બંધકોને મુક્ત કરવા અથવા BLAને થયેલા નુકસાન અંગે કોઈ વીડિયો કે ફોટોગ્રાફ્સ જાહેર કર્યા નહોતા. ત્યારે BLAએ પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.