Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

'અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા...', ટ્રેન હાઈજેક કરનાર BLAના દાવાથી ખળભળાટ

March 15, 2025

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરનાર ભાગલાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હવે મોટો દાવો કર્યો છે. BLAનું કહેવું છે કે અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા છે. માર્યા ગયેલા તમામ 214 બંધકો પાકિસ્તાની આર્મીના સૈનિકો હતા. BLAના આ દાવા સાથે પાકિસ્તાનની પોલ ખુલતી દેખાઈ રહી છે કેમ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે ટ્રેન હાઈજેક કરનારા 33 બલૂચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે અને તમામ બંધકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે મંગળવારે બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના બોલાન નજીક ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી. ટ્રેનમાં 450 થી વધુ લોકો હાજર હતા, પરંતુ BLAએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાની સેનાએ બુધવારે દાવો કર્યો હતો કે  જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બંધક બનાવી લેવાયેલા લોકોને મુક્ત કરાવવાન ઓપરેશનમાં તમામ 33 BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પણ કહ્યું હતું કે અમે તમામ બંધકોને બચાવી લીધા છે. જો કે, પાકિસ્તાની સેનાએ બંધકોને મુક્ત કરવા અથવા BLAને થયેલા નુકસાન અંગે કોઈ વીડિયો કે ફોટોગ્રાફ્સ જાહેર કર્યા નહોતા. ત્યારે BLAએ પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.