Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ રાખવાની જરૂર છે : સાૈરવ ગાંગુલી

March 24, 2026

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેના કાર્યકાળમાં ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટીમે ફરી એક વાર ICC ખિતાબ જીત્યો છે. જોકે, આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગંભીરને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ગાંગુલીનું માનવું છે કે, ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, પરંતુ તેણે પોતાનું વલણ થોડું નરમ રાખવાની જરૂર છે.

ગાંગુલીએ કહ્યું કે, 'ગૌતમ ગંભીર ખૂબ જ સ્પર્ધાત્મક વ્યક્તિ છે અને તે કોઈપણ કિંમતે જીતવા માગે છે. આ જ બાબત તેને અન્ય લોકોથી અલગ બનાવે છે. જોકે તેના મતે ગંભીરને અસરકારક બનવા માટે વધુ પડતા સખ્ત કે કઠોર બનવાની જરૂર નથી.' ગાંગુલીએ એમ પણ કહ્યું કે, 'ગંભીર એક સારો વ્યક્તિ છે.'

સૌરવ ગાંગુલીએ ગંભીરની એક વાતની ખૂબ પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે, ગંભીરે ટીમમાં 'ટીમ-ફર્સ્ટ' માનસિકતાને મજબૂત બનાવી છે. આનો અર્થ એ છે કે ધ્યાન કોઈ એક સ્ટાર ખેલાડી પર નહીં, પરંતુ સમગ્ર ટીમના સામૂહિક પ્રદર્શન પર રહ્યું છે. આ કોઈપણ સફળ ટીમની મોટી ઓળખ હોય છે. ગાંગુલીનું માનવું છે કે ગંભીર આ મામલે સારું કામ કરી રહ્યો છે અને આ જ કારણે ભારતને સફેદ બોલ ક્રિકેટમાં સફળતા મળી છે.