Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

લાઠીમાં પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને, વાતાવરણ તંગ

February 14, 2025

ચલાલામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા

લાઠી : લાઠી શહેરમાં રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના કાર્યાલય આસે કોંગ્રેસ-કોંગ્રેસના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખીય છે કે ગુરૂવારે અમરેલીના ચલાલામાં બનેલી ઘટનાનો પ્રતાપ દુધાતે બદલો લીધો છે. 


અમરેલીમાં ગુરૂવારે પ્રચાર ટાણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડતાં વાતાવરણ તંગ બન્યું હતું. બંને પક્ષોના કાર્યકરો વચ્ચે સ્થિતિ વણસતાં સ્થાનિક પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.  આ પ્રચાર કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાત પોતપોતાના સમર્થકો સાથે જોડાયા હતા.  મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. 16 ફેબ્રુઆરીના રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોર શોરથી પ્રચારમાં લાગી ગયા છે. જો કે અમરેલીમાંચલાલા નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.