કોંગ્રેસને જરૂર નથી, તો મારી પાસે વિકલ્પ છે : શશી થરૂર
February 23, 2025
દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ પાર્ટીના સંબંધોમાં હાલ કડવાશ જોવા મળી રહી છે. હાલમાં જ તેમણે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરી પાર્ટીમાં પોતાને હાંસિયામાં ધકેલી દેવાની વાતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની પાર્ટીને સ્પષ્ટ કહી દીધું કે, તમને એવું ન લાગવું જોઈએ કે, શશી થરૂર પાસે કોઈ વિકલ્પ નથી. શશી થરૂરે કહ્યું કે, તિરૂવનંતપુરમથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ખબર પડી કે, રાજ્ય અને દેશના વિકાસ વિશે મેં સ્વતંત્ર રૂપે પોતાના વિચાર વ્યક્ત કરવા માટે તેમના અધિકારોનું સમર્થન કર્યું છે. હું પાર્ટી માટે હાજર છું પરંતુ, જો કોંગ્રેસને મારી સેવાની જરૂર નથી તો મારી પાસે વિકલ્પ છે.
શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં કેરળ કોંગ્રેસમાં નેતૃત્વની કમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, 'પાર્ટીની અંદર નેતૃત્વની કમી એક ગંભીર સમસ્યા છે. જો કોંગ્રેસ પોતાની સિમિત વોટબેન્કથી કામ કરે છે તો તેને ત્રીજીવાર વિપક્ષમાં બેસવાનો સામનો કરવોસલ પડશે. કોંગ્રેસે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરક પર પોતાની અપીલને વધારવી પડશે. કારણ કે, પાર્ટી ફક્ત પોતાની સમર્પિત વોટબેન્કના સહારે સત્તામાં ન આવી શકે.' જોકે, પાર્ટી બદલવાને લઈને શશી થરૂરે કહ્યું કે, 'હું પાર્ટી બદલવા વિશે નથી વિચારી રહ્યો. મારૂ માનવું છે કે, જો પાર્ટીથી અસંમત છીએ તો પાર્ટી બદલવાનો રસ્તો ન અપનાવવો જોઈએ. મારી પાસે પુસ્તક છે. ભાષણ આપવા માટેના નિમંત્રણ છે અને અન્ય પણ બીજા કામ છે.'
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026