ભલે ગમે તેટલો સમય લાગે, રાજકારણને સાફ કરજો- અરવિંદ કેજરીવાલ
February 23, 2025
દિલ્હી- દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓ અને સમર્થકોને કહ્યું કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. દિલ્હીમાં 10 વર્ષ રાજ કરીને સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના નિવાસસ્થાને મળવા આવેલા કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું કે, ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે. હવે મને જે પણ લોકો મળવા આવે, તેઓએ હસતાં ચહેરે આવવાનું છે. ઉપરવાળાએ મને સત્તા આપી હતી અને હવે તેમની ઈચ્છા કંઈક જુદી હતી.’
તેમણે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા તેઓને ચૂંટણીના હીરો ગણાવ્યા છે. પૂર્વ સીએમએ કહ્યું કે, મારા કાર્યકર્તાઓને ધમકી અપાઈ, ડરાવવામાં આવ્યા, લાલચ અપાઈ, તેમ છતાં તેઓ તૂટ્યા નહીં. ભલે ગમે તેટલો સમય લાગે, ગુંડાગર્દી કરી અને નાણાંના બળ પર ચૂંટણી લડવામાં આવે અને જીતવામાં આવે, તેવા રાજકારણને સાફ કરજો. આપણે બે ચૂંટણી જીતી બતાવી છે અને આગામી સમયમાં પણ જીતીને બતાવીશું. આપણે પૈસા અને ગુંડાગર્દી વગર ઈમાનદારીથી ચૂંટણી જીતીને દેખાડીશું. તમે બધા લોકોની સેવા કરવાનું ન છોડતા. સત્તા વગર જેટલી સેવા કરી શકો, તેટલી કરતા રહેજો. જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાના હોય, સ્કૂલમાં એડમિશન કરાવવાનું હોય, તો સેવા કરતા રહેજો. તમે જેવી પણ સેવા કરી શકો તે કરતા રહેજો. સેવા ઘટવી ન જોઈએ. ચૂંટણી આવતી-જતી રહે છે. હવે જે લોકો મારા ઘરે આવે, તેઓ હસતાં ચહેરે આવે, નિરાશ થવાનું નથી, ખુશ રહેવાનું છે. હાર અને જીત, બંનેમાં મનોબળ ઊંચુ રાખવું જોઈએ.
Related Articles
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું...
Mar 30, 2026
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છૂટછાટ
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિ...
Mar 30, 2026
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા? મોઇત્રાના નિવેદન બાદ વિવાદ
અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું...
Mar 29, 2026
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા છે : મોદી
LDF અને UDF ભ્રષ્ટાચારી અને ભાજપથી ડરેલા...
Mar 29, 2026
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળ...
Mar 29, 2026
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા, અખિલેશના પ્રહારો
7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બં...
Mar 29, 2026
Trending NEWS
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
29 March, 2026
28 March, 2026
28 March, 2026