દિલ્હી પરિવર્તનનું શહેર, જે આજે સત્તામાં છે તે પાછા ફરશે : રાઉત
February 21, 2025
દિલ્હી- ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના આકરો કટાક્ષ કર્યો છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, 'દિલ્હીમાં તો બહારના લોકો આવે છે, રાજ કરે છે અને ચાલ્યા જાય છે. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. આ પરિવર્તનનું શહેર છે. બહારના લોકો અહીં આવે છે, શાસન કરે છે અને પરત ફરી જાય છે. જે લોકો આ દિલ્હીની સત્તા પર છે, તેમણે પણ પાછા ફરવું પડશે. કેટલાક લોકો રાજસ્થાન પરત ફરી ગયા છે અને કેટલાક લોકો મહારાષ્ટ્ર પરત ફર્યા છે. હવે આજે જે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે.'
સંજય રાઉતે આ દરમિયાન શરદ પવારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, 'તેઓ એવા નેતા છે જેમને મહારાષ્ટ્રના લોકો દિલ્હીમાં જોવા માગે છે. નિલેશ કુમાર કુલકર્ણી દ્વારા લખાયેલ પુસ્તક 'સંસદ તે સેંટ્રા વિસ્ટા' (સંસદ સે સેંટ્રા વિસ્ટા તક)ના વિમોચન દરમિયાન રાઉતે કહ્યું કે, શરદ પવાર અમારા વિરોધી નથી. તેઓ ક્યારેય અમારા દુશ્મન નથી રહ્યા. તેઓ અમારા માર્ગદર્શક અને અમારા નેતા છે. તેઓ અમારા મહાદજી શિંદે છે.' રાઉતે આગળ કહ્યું કે, 'મરાઠા સામ્રાજ્યના સેનાપતિ દિલ્હીમાં 'કિંગમેકર' હતા અને તેમણે બે વખત વિજય પ્રાપ્ત કર્યા બાદ અહીં શાસકોને નિયુક્ત કર્યા. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. વિશ્વાસઘાત અને ષડયંત્ર દિલ્હીમાં જીવનનો અભિન્ન અંગ છે.'
સંજય રાઉત દ્વારા શરદ પવારના વખાણ કરવા એ રસપ્રદ છે. એનું કારણ એ છે કે, થોડા દિવસ પહેલા જ શરદ પવારે એકનાથ શિંદેનું સન્માન કર્યું હતું. તેના પર ઉદ્ધવ સેવના ભડકી ગઈ હતી. આ દરમિયાન સંજય રાઉતે ખુદ એવું કહ્યું હતું કે, બધાને ખબર જ છે કે આવા પુરસ્કારો કેવી રીતે ખરીદીને વેચવામાં આવે છે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026