સાંસદોના પક્ષપલટાની આશંકાથી ડર્યા ઉદ્ધવ ઠાકરે! એડવાઇઝરી જાહેર કરી
February 14, 2025
દિલ્હી : શરદ પવાર તરફથી એકનાથ શિંદેને મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માનને લઈને વિવાદ ખતમ પણ થયો નહોતો કે ઉદ્ધવ સેનાએ સાંસદોને લઈને એડવાઇઝરી જાહેર કરી દીધી છે. ઉદ્ધવ સેનાના અમુક સાંસદ એકનાથ શિંદે જૂથના નેતાઓને મળી રહ્યા હતા. આને લઈને ઉદ્ધવ જૂથ ચિંતિત હતું અને હવે તેણે એકનાથ શિંદે જૂથના નેતાઓથી વધુ મુલાકાત ન કરવાની સલાહ આપી છે. આદિત્ય ઠાકરે તરફથી આ એડવાઇઝરી આપવામાં આવી છે. ઘણા સાંસદોએ એકનાથ શિંદે અને તેમના જૂથના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી છે. એકનાથ શિંદેએ અઢી વર્ષ સરકાર ચલાવી હતી અને હવે ભાજપની લીડરશિપવાળી સરકારમાં તે ડેપ્યુટી સીએમ છે. દરમિયાન ઉદ્ધવ જૂથના સાંસદો અને ધારાસભ્યોને લાગે છે કે સત્તાથી નજીકના માટે એકનાથ શિંદે જૂથની સાથે રહેવું યોગ્ય રહેશે.
આ વાત ઉદ્ધવ જૂથ માટે ચિંતાનું કારણ બની ગયું છે. હવે આદિત્ય ઠાકરે તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આયોજનનું આમંત્રણ સ્વીકાર કરતાં પહેલાં લીડરશિપની મંજૂરી જરૂરી છે. એકનાથ શિંદે જૂથ તરફથી જો કોઈ ડિનર કે લંચનું ઇનવાઇટ આવે છે તો તે માટે પણ પરમિશન લઈને જ જવું પડશે. 11 ફેબ્રુઆરીએ શરદ પવારે એકનાથ શિંદેને સન્માનિત કર્યાં હતા. દિલ્હીમાં આ આયોજન થયું હતું, જેમાં ઉદ્ધવ સેનાના સાંસદ સંજય પાટિલ પણ હાજર હતા. આ વાત ઉદ્ધવ જૂથને ગમી નહીં. સન્માનને લઈને સંજય રાઉતે એટલે સુધી કહી દીધું કે આવા સન્માન ખરીદવામાં આવે છે કે પછી વેચવામાં આવે છે. આ પુરસ્કારોને પ્રાપ્ત કરવાની કોઈ અન્ય રીત નથી.
એકનાથ શિંદેના સન્માન સમારોહમાં હાજર રહેનાર સાંસદ શામને શ્રીકાંત શિંદે તરફથી આપવામાં આવેલા ડિનર પણ પહોંચ્યા હતા. આ વાતને લઈને ટેન્શન છે. એટલું જ નહીં 12 નવેમ્બરે એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે ડિનર આપ્યું હતું. તેમાં પણ ઉદ્ધ ઠાકરેના ઘણા સાંસદ પહોંચ્યા હતા. આ તમામને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથે વાંધો વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ જૂથનું કહેવું છે કે શરદ પવાર તરફથી એકનાથ શિંદેને સન્માનિત કરવા એક પ્રકારે તેમના જૂથને કાયદેસરતા આપવી છે. આ સિવાય સાંસદોના વારંવાર મળવાથી ખોટો મેસેજ જાય છે. એક તરફ નેરેટિવ ખરાબ થાય છે તો બીજી તરફ આવી મુલાકાતો ચર્ચા બને છે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026