સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરાઈ
May 10, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સંઘર્ષ અને તણાવભરી સ્થિતિને લઈને સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફની પોસ્ટ માટેની એનટીએની 11મીની પરીક્ષા પણ મોકૂફ કરાઈ છે. જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુનિ.-ઓ-કોલેજોની પરીક્ષાઓ રદ કરવા માટે કોઈ પણ પ્રકારનો પરિપત્ર થયો નથી. સોશિયલ મીડિયામાં ફેક લેટર ફરતો થયો છે.
જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે કે યુનિ.-ઓ અને કોલેજોની પરીક્ષાઓને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે સર્ક્યુલર કરવામા આવ્યો નથી. સોશિયલ મીડિયામાં યુજીસીના નામે બનાવટી પબ્લિક નોટિસ ફરી રહી છે.જેમાં જણાવવામા આવ્યું છે કે હાલ ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લીધે યુજી,ડિપ્લોમા અને સર્ટિફિકેટ લેવલના તમામ કોર્સની પરીક્ષાઓ તાકીદથી રદ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સલામતી-સુરક્ષાને ઘ્યાને રાખતા તેઓના ઘરે બને તેટલુ જલ્દીથી જતા રહે.જો કે યુજીસીએ સ્પષ્ટતા કરી છે કે આ ફેક નોટિસ છે. યુજીસી દ્વારા આવી કોઈ નોટિસ ઈસ્યુ કરાઈ નથી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ પ્રકારની કોઈ સૂચના અપાઈ નથી.
Related Articles
સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા યાત્રા, મહિલાઓ સેંથીમાં સિંદૂર પૂરી જોડાશે
સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા ય...
May 14, 2025
જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં ઘુસી ગયું રીંછ, લોકોમાં ડરનો માહોલ, તાત્કાલિક કરાયું રેસક્યુ
જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં...
May 14, 2025
સુરતની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની મંજુરી, સગીર વિદ્યાર્થીથી થઇ હતી ગર્ભવતી
સુરતની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર...
May 14, 2025
ભારતીય જવાનોની હિંમત અને જુસ્સો વધારવા 'જય હિન્દ યાત્રા'નું આયોજન
ભારતીય જવાનોની હિંમત અને જુસ્સો વધારવા '...
May 14, 2025
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્...
May 12, 2025
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, સતત છઠ્ઠા દિવસે માવઠું
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ...
May 11, 2025
Trending NEWS

14 May, 2025

14 May, 2025