અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
May 10, 2025

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ ઓપરેશન સિંદૂર પર પોતાની એક ટ્વિટના કારણે ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. પૂર્વ ક્રિકેટરે ટ્વિટમાં એવું લખ્યું હતું કે, 'આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દેશે'. તેની ટ્વિટ જોતા એવું લાગી રહ્યું હતું કે તે ઓપરેશન સિંદૂરથી ખુશ નથી. આ કારણે જ ભૂતપૂર્વ બેટર એટલો ટ્રોલ થયો કે તેણે પોતાની ટ્વિટ ડીલીટ કરવી પડી અને આ અંગે સ્પષ્ટતા પણ કરવી પડી હતી. વિવાદ વધ્યા બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટર અંબાતી રાયડુએ X પર સ્પષ્ટતા આપતા લખ્યું કે, 'હું સરહદ પરની પરિસ્થિતિ પર મારી તાજેતરની ટિપ્પણી અંગે સ્પષ્ટ કરવા માંગુ છું, જેનાં કારણે ગેરસમજ થઇ છે. મારો આવો કોઈ ઈરાદો નહોતો અને હું આ સ્પષ્ટ કરવા માંગુ છું. આ સંવેદનશીલ સમયમાં, હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ મારી સરકાર સાથે ઉભો છું, જે ઓપરેશન સિંદૂર દ્વારા મજબૂત કાર્યવાહી કરી રહી છે. હું આપણી બહાદુર ભારતીય સેના સાથે ઉભો છું અને મારા સાથી નાગરિકોની લાગણીઓમાં સંપૂર્ણ રીતે સહભાગી છું. જય હિન્દ. જય ભારત'. તેના થોડા સમય પછી રાયડુએ બીજી પોસ્ટ કરી કે, 'આ નબળાઈ નથી, પરંતુ શાણપણની યાદ અપાવે છે. ન્યાય મજબૂત હોવો જોઈએ, પરંતુ આપણે માનવતાને ભૂલવી ન જોઈએ. આપણે આપણા દેશને પ્રેમ કરી શકીએ છીએ અને આપણા દિલમાં કરુણા પણ રાખી શકીએ છીએ. દેશભક્તિ અને શાંતિ એક સાથે થઇ શકે છે.' રાયડુની આ પોસ્ટના કારણે લોકો તેને ભારે ટ્રોલ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે રાયડુ ઓપરેશન સિંદૂરથી ખુશ નથી. જેના કારણે ભારતીય પૂર્વ ક્રિકેટરે સ્પષ્ટતા આપવી પડી હતી.
Related Articles
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનં...
May 13, 2025
IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ? બોર્ડે કહ્યું- નિર્ણય લેવા સ્વતંત્ર
IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે...
May 13, 2025
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહ...
May 12, 2025
ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખુદ થયો બહાર? ગિલ કે પંત સંભાળી શકે છે કમાનઃ રિપોર્ટ
ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખ...
May 12, 2025
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃ...
May 12, 2025
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025